રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ ગુમાવ્યો છે અને 17થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઝાલાવાડ જિલ્લા પોલીસએ જણાવ્યું છે કે 10 ઘાયલ બાળકોની સારવાર ઝાલાવાડના હોસ્પિટલમાં ચાલી રહી છે જેમાંથી કેટલીકની હાલત ગંભીર છે. શિક્ષકો અને સ્થાનિક લોકોની મદદથી ઘણાં બાળકોને સુકક્ષીત કરાયા છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ દુર્ઘટના માટે ચિંતા વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોની તાત્કાલિક સાજા થવા માટે પ્રાર્થના કરી. રાજ્યના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું કે આ દુઃખદ ઘટના વધુ તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમીશન બનાવાશે અને તમામ ઘાયલ બાળકોને સરકારી ખર્ચે સમુચિત સારવાર આપવામાં આવશે.

આ દુર્ઘટનાથી શાળા ઈમારતની સુરક્ષા અને બાંધકામ માપદંડો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ગંભીર તપાસ જરૂરી છે.

Related Posts

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…

Read more

મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી: બોમ્બે હાઈકોર્ટે તમામ 12 આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ સીરિયલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *