ભારતનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ, જાણો કેવી રીતે અમદાવાદે બધાને પાછળ છોડ્યા..

કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ-2024નો અહેવાલ જાહેર કર્યો છે, જેમાં અમદાવાદ, લખનૌ અને ભોપાલે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ઈન્દોરને પછાડીને આ ત્રણેય શહેરો ભારતના સૌથી સ્વચ્છ શહેરો તરીકે ઊભરી આવ્યા છે. ખાસ કરીને અમદાવાદે પ્રથમ સ્થાન હાંસલ કરી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

સર્વેક્ષણના પરિણામ મુજબ અમદાવાદ પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ભોપાલ બીજાં અને લખનૌ ત્રીજા ક્રમે છે. આજે આપણે જાણીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમલમાં મુકાયેલી કઈ ખાસ નીતિઓએ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

અમદાવાદની સફાઈની સંપૂર્ણ જવાબદારી AMC નિભાવે છે. શહેરના તમામ રસ્તાઓ રોજ સવારે 6:30 થી 11:30 અને બપોરે 3:00 થી 6:00 દરમિયાન 12,500 થી વધુ સફાઈ કામદારો દ્વારા સાફ કરવામાં આવે છે.

શહેરમાંથી દરરોજ 4000 મેટ્રિક ટન ઘન કચરો નીકળી આવે છે, જેનું નિયમિત સંચાલન AMC કરે છે. તેમાંના લગભગ 50% કચરો ડસ્ટબિન અને રોડ સાફ કરતી કામગીરી દ્વારા એકત્રિત થાય છે. ઘરોમાંથી કચરો એકત્રિત કરવા માટે 600 થી વધુ ઓટો ટિપર વાહનો શહેરભરમાં વહન કરે છે. સવારે 7 વાગ્યાથી રોજિંદા આ વાહનો 1.4 લાખથી વધુ ઘરોમાંથી 1300 મેટ્રિક ટનથી વધુ કચરો એકત્રિત કરે છે. આ કચરો ટ્રાન્સફર સ્ટેશન દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા GPS માધ્યમથી મોનિટર થાય છે.

AMC દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ અનેક પહેલો કરવામાં આવી. શહેરમાં IEC (Information, Education & Communication) પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. તેમાં વોર્ડ સ્તરે સમિતિઓ રચવી, જૂથ ચર્ચાઓ યોજવી, ટૂંકી ફિલ્મો દ્વારા શાળાઓ અને જાહેર સ્થળોએ જાગૃતિ ફેલાવવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સાથે સાથે AMCના કર્મચારીઓ અને કાઉન્સિલરો દ્વારા નાગરિકોને તાલીમ પણ આપવામાં આવી.

AMCની યોજનાબદ્ધ કામગીરી, ટેક્નોલોજીના સક્ષમ ઉપયોગ અને નાગરિકોની સહભાગિતાએ અમદાવાદને સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં દેશનું નંબર-1 શહેર બનાવ્યું છે. આ સફળતા માત્ર AMCની નહીં પણ દરેક અમદાવાદી નાગરિકના સહયોગ અને જવાબદારીનો પરિણામ છે.

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *