પાટીદાર શિક્ષિકાને ન્યાય અપાવવા વિશાળ કેન્ડલ માર્ચ

સુરતના કતારગામમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાના આપઘાતના મામલે કતારગામના ડભોલી વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બે કિમી લાંબી કેન્ડલ માર્ચમાં 10 હજાર લોકો જોડાયા હતા. સુરતના ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ હતી.

આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.

આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત, સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈપણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઘટનાને લઈને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’

ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા   કહી દીધું…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *