પહેલગામમાં હુમલો કરી જશ્ન મનાવ્યો..

પહેલગામમાં 26 લોકોની હત્યા કર્યા પછી, આતંકવાદીઓએ સ્થળ પર જ ઉજવણી કરી. તેમણે ઉજવણીમાં હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. 3 આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. ઘટના પછી તરત જ એક સ્થાનિક વ્યક્તિએ આતંકવાદીઓને હવામાં ગોળીબાર કરતા જોયા. આ વ્યક્તિ હવે NIA માટે એક મહત્વપૂર્ણ સાક્ષી બની ગયો છે.

સાક્ષીએ જણાવ્યું કે ઘટના પછી, જ્યારે તે બૈસરનથી પરત ફરી રહ્યો હતો, ત્યારે આતંકવાદીઓએ તેને રોક્યો અને હવામાં લગભગ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો.

હુમલા સમયે, બે સ્થાનિક લોકો, પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ, બૈસરનમાં આતંકવાદીઓના સામાનની રક્ષા કરી રહ્યા હતા. ગયા મહિને NIA દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના હતા અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર કમાન્ડર હાશિમ મુસા ઉર્ફે સુલેમાન હોવાનું કહેવાય છે. જે અગાઉ કાશ્મીરમાં ઘણા મોટા હુમલાઓમાં સામેલ રહી ચૂક્યો છે. સુલેમાન પર સોનમાર્ગમાં ઝેડ-મોડ સુરંગમાં 7 કામદારોની હત્યા કરવાનો પણ આરોપ છે.

Related Posts

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના : સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક ધરાશાયી થઇ ગઈ, જેના કારણે વર્ગમાં હાજર લગભગ 60 બાળકોમાંથી 25 બાળકો નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોએ જીવ…

Read more

રિલાયન્સ ગ્રૂપનાં અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળોએ ઈડીના દરોડા: યસ બેન્ક લોન ફ્રોડ કેસ

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપથી સંકળાયેલી 50 કંપનીઓ અને 35 સ્થળોએ બુધવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની છેક સુધી…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *