રાજ્યમાં વરસાદનો વિરામ : અંબાલાલ પટેલે કહ્યું, હમણા વરસાદ કોઈ સંભાવના નહીં, આ તારીખ થી થશે વરસાદ…

રાજ્યમાં ચોમાસાના આગમનના એક મહીના બાદ હવે વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમના કહેવા પ્રમાણે, રાજયમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે અને રાજયમાં હાલમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી,  જોકે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે, બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે જેના કારણે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના  કહેવા પ્રમાણે, વાવાઝોડાની હાલમાં કોઈ શકયતા દેખાઈ રહી નથી, 23 જુલાઈ બાદ રાજયમાં વરસાદ ભારે પડી શકે છે, અને 28 જૂલાઇ આસપાસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો સાનુકૂળ સંજોગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, મહેસાણા, પાટણ, કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.

જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે

તો બીજી તરફ જૂલાઇ મહિનાના અંત ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં જુલાઈ મહિનામાં 4 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં 30-31 જુલાઇ આસ પાસ ભારે વરસાદ પડી શકે છે.કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

Related Posts

ગાંધીનગર રાંદેસણ દુર્ઘટના: હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા સહિત ત્રણના કરૂણ મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં સિટી પ્લસ સિનેમા સામે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી GJ-18-EE-7887 નંબરની કારએ લગભગ ચાર લોકોને ઝપેટમાં લીધા હતા. આ દુર્ઘટનામાં…

Read more

પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ અમિત ચાવડાની ચેતવણી, ‘ડર લાગતો હોય એ ખુશીથી રજા લઈ લે’

ગુજરાત કોંગ્રેસમાં નવી ઉર્જા ફુંકવાનું હાઇકમાન્ડે નક્કી કર્યું છે. શક્તિસિંહ ગોહિલ બાદ હવે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ અમિત ચાવડાના હસ્તે આવ્યું છે. તેમણે પદગ્રહણ સમયે જ સ્પષ્ટ સંદેશો આપતા   કહી દીધું…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *